શુક્રવાર, 16 ફેબ્રુઆરી, 2018

ફેબ્રુઆરી 16

     જીવનમાં જે મહત્વની બાબતો છે તેના વિશે તમે શું કરો છો?
તમારા મૂલ્યો બરોબર છે?
થોડો સમય કાઢીને સ્થિર શાંત બેસો, મૌનમાં જાઓ, તમારા ઇરાદાઓને ઓળખો અને તે ઉંચામાં ઊચા છે કે નહિ તે જુઓ.
માત્ર તમે જ એ કરી શકો, બીજું કોઈ અે તમારે માટે કરી શકે નહિ.
એનો અર્થ કદાચ એમ પણ થાય કે તરત ને તરત જવાબ ન મળે તો પણ તમે મારી આજ્ઞામાં રહો.
તમારે કદાચ બહુ મહત્વના પાઠ શીખવવા હોય, જે તમે શાંત સ્થિર થઈને મારી આજ્ઞામાં રહેવા દ્વારા જ શીખી શકો -  ખાસ કરીને તમે અધીરા ને હકથી માગણી કરતાં જીવ હો ત્યારે.
પોતાને માટે બહાનાં શા સારું શોધવા જોઈએ?
સૈદ્ધાંતિક રીતે તો તમને બધા જવાબોની ખબર છે.
હવે અે સમય આવી ગયો છે કે તમે અે અમલમાં મૂકો અને તમારે માટે અે કંઈ રીતે કામ કરે છે તે જુઓ.
તમે જાતે એની કસોટી નહિ કરો ત્યાં સુધી તમે જીવન માટેના અતિ મહત્વના આ પાઠ કદી નહિ શીખી શકો.
એના વિશે વિચારવામાં સમય બગાડવાનું બંધ કરીને અત્યારે જ અે કરવા માંડો તો! સાચા મૂલ્યો શીખો,પ્રથમ બાબતને પ્રાથમિકતા આપો, તમારી અંદર અને  તમારી અ દ્વારા મને કામ કરવા દો.
'ઊઘડતાં દ્વાર અંતરનાં' પુસ્તકમાંથી સાભાર.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please comment with your own opinion.