રવિવાર, 17 મે, 2015

બોધકથા - 9

નોકરી કે પછી 'નો' કરી ?

બે નાનપણનાં મિત્રો હતા.

ભણીને એક ટપાલી થયો અને એક મોટા મંદિરના મોટા મહંતનો સુરક્ષા કમાન્ડો થયો. (આજકાલ ભગવાનને ભરોસે જીવતા લોકોને પણ સુરક્ષાની જરૂર પડે છે એટલે...!!)

ટપાલી ટપાલ પહોચાડવા રોજ 10 કિમી ચાલતો,
અને કમાન્ડો પોતાનું શરીર કસાયેલું રાખવા રોજ 5 કિમી દોડતો.

ટપાલી દિવસોદિવસ એકદમ ક્ષીણ અને અશક્ત થતો જતો હતો,
જ્યારે કમાન્ડો મજબુત અને પહેલવાન થતો જતો હતો.

એકવાર બંને મિત્રો અચાનક મળી ગયા,
પહેલવાન મિત્રને પોતાનાં ટપાલી મિત્રની નરમ તબિયત જોઇને આઘાત લાગ્યો.
અને તરત જ તેને પોતાનાં મહાત્માજી પાસે લઇ ગયો.
પહેલવાન મિત્રએ મહાત્માજી ને પૂછ્યું - "સ્વામીજી, હું રોજ ફક્ત 5 જ કિમી દોડું છું છતાય આવો પહેલવાન છું જ્યારે મારો આ મિત્ર રોજ 10 કિમી ચાલે છે છતાય તેનું શરીર નબળું કેમ છે ?"

મહાત્માજી એ સુંદર જવાબ આપ્યો અને કહ્યું "કારણ કે એ પોતાનાં 'ચાલવા' ને વેઠ-સજા-મજુરી સમજે છે તેથી થાકી જાય છે, જ્યારે તું શરીર સાચવવાની દ્રષ્ટિ થી દોડે છે તેથી તને ફાયદો થાય છે...!!"


મિત્રો આપણું પણ કઈક આવું જ છે,
આપણો ધંધો, નોકરી, કર્મ તરફ આપણી દ્રષ્ટિ કેવી છે તેના પર કર્મફળ અને પરિણામ નો આધાર રહે છે. 
કામનું મહત્વ નથી,
કામ તરફ જોવાની આપણી દ્રષ્ટિ નું વધારે મહત્વ છે.

આપણા કામ ને આપણે વેઠ ન સમજતા તેનો આનંદ ઉઠાવતા થઈએ એવી અભ્યર્થના સાથે,
આપનો દિવસ મંગલમય રહે...
સુપ્રભાતમ.

તા.ક. શિક્ષક (વિદ્યાસહાયક) તરીકે ની નોકરી (05-09-2011 માં) સ્વીકાર્યા પછી 'પણ' મારા વજનમાં 12 (બાર) કિલોગ્રામ નો વધારો થયો છે...!!

_/\_ પ્રણામ 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please comment with your own opinion.